મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત્ત જવાનોનો અને તાજેતર માં નિવૃત્ત થયેલા જવાનો નો સન્માન સમારંભ

હિન્દ ન્યુઝ, મહીસાગર

મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત્ત જવાનોનો અને તાજેતર માં નિવૃત્ત થયેલા જવાનો નો સન્માન સમારંભ મહીસાગર તીર્થ ધામ દેગમડા ખાતે મઘ્ય ગુજરાત ધર્માઅઘ્યક્ષ (હિંદૂ યુવા વાહિની) મહંત શ્રી અરવિંદગિરિ મહારાજ ના સાંનિધ્યમાં યોજાયો. જેમાં સમારંભ ના અઘ્યક્ષ દીપેશભાઈ પટેલ (Ex.પેરા મિલેટરી સંગઠન પ્રમુખ), તુલસીભાઈ, શૈલેષભાઈ બારિયા, ભાનુભાઇ વાળંદ, રમણભાઈ ખાંટ, મહીસાગર હિન્દુ યુવા વાહિની ટીમ ના કાર્યકર્તાઓ અને સનાતન ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અર્ધ લશ્કરીદળોના જવાનો ના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. હી.યુ.વા પ્રશ્નો ના નિરાકરણ ના પ્રયત્નો માટે જવાનો સાથે છે તેવું પ્રોત્સાહન આપ્યું. જે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લોક કલાકાર જગદીશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment